Dhirubhai Ambani
( જ.28-12-1932 * અ . 6-7-2002 )
સૌરાષ્ટ્રમાં ચોરવાડ પાસે કુકસવાડા જેવા નાના ગામમાં Hirachand Ambani ને ત્યાં જન્મ . માંડ મેટ્રિક પાસ થયેલો માણસ કેટલેક પહોંચી શકે ? કોઈનીય ઊંચામાં ઊંચી કલ્પનાય ખોટી પડે તેવી ઊંચાઈ આંબીને Dhirubhai Ambani એ Gujarat ના કે World ના જ નહીં પણ જગતભરમાં અનેકોને અચંબામાં નાખી દીધા .
ભણતરમાં ઝાઝો રસ ન પડ્યો તે એને ઠેબે ચડાવ્યું ને ગણતરની ગાડી પકડી . 16 મે વર્ષે કમાવા એડનની વાટ પકડી . ‘ નોકરીમાં શું દાડા વળે ? ” એવી મનમાં ગાંઠ વાળી ચારે તરફ દોડાવતા રહ્યા . આખરે શેરબજાર(Stock market)માં એમની આંખ ઠરી . કોઠાસૂઝ એવી કે થોડા જ સમયમાં શેરોના સોદા કરતાં શીખી ગયા . સંપત્તિ પ્રાપ્ત કરવાના એક પછી એક રસ્તા ખૂલતા ગયા .
એડનમાં એક Show- room પર એમની નજર પડી . નામ એનું ‘ Reliance ' , એમને એ નામ એટલું તો પસંદ પડી ગયું કે પોતાના ભાવિ Business નું નામ રાખ્યું ‘ Raliance ’ . ચિત્તના કોઈ ખૂણામાં વતનની યાદ તો ભરી જ હતી એટલે – જે કાંઈ કરવું હોય તે વતનમાં જ કરવું - એવી ભાવના સાથે bhart પાછા આવ્યાં .
પોતાની મહત્ત્વાકાંક્ષા માટે વતનની ચાદર તો ઘણી નાની પડે એટલે Mumbai જઈ 1956 માં ‘Reliance Commercial Corporation ’ નામે કંપની શરૂ કરી . 1966 માં તો Reliance Textile Mill શરૂ કરી . જોતજોતામાં તેણે Worldમાં ડંકો વગાડી દીધો . 1967 સુધી હજી સામાન્ય લોકો Stock market ને ઓળખતા ન હતા . ધીરુભાઈએ એક સામાન્ય માનવીને પણ Stock market પ્રત્યે આકર્ષિત કર્યો . તેમણે બેંકો કે મોટા Financiers બદલ પોતાના Shareholders ટેકે બહોળો વેપાર કર્યો . પોતે ખૂબ કમાયા અને શેર હોલ્ડરોને પણ કમાણી કરી આપી . આમ તેમણે એક નવો જ ચીલો ચીતર્યો . સફળતા મેળવવી અને લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ એમનું ધ્યેય હતું . આ એક નવતર પ્રયોગ હતો અને તેમાંથી તેઓ પાર ઊતર્યા .
1980 માં Patalganga Project, Reliance Prolypropylene, Polyethylene, Textile Mill અને Petrochemicals નું જોડાણ કરીને India's 'number one' Reliance Industries નું સર્જન કર્યું . એક સર્વેક્ષણ મુજબ તેઓ શ્રેષ્ઠ સંપત્તિસર્જન હતા . જ્યાં દર ચોથો રોકાણકાર રિલાયન્સ કંપનીનો છે તેવા Indian Stock marketના ભીષ્મપિતામહ હતા . Bhart સરકારે તેમને ‘ ભારત રત્ન ' ખિતાબ એનાયત કર્યો હતો . યુનિવર્સિટી ઑફ પેન્સિલોનિયાની હાર્ટન સ્કૂલ તરફથી ‘ ડીન મેડલ ’ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા .
અઢળક સંપત્તિનું સર્જન કરનાર , વિશ્વભરમાં ‘ Reliance 'નો અને તે દ્વારા ભારતનો ડંકો વગાડનાર કીર્તિવંત Dhirubhai Ambaniઆટલી જ્વલંત સફળતા બાદ પણ પોતાના નાનકડા વતનને ભૂલ્યા ન હતા . ચોરવાડમાં એમણે ત્રીસ લાખના ખર્ચે કન્યા વિદ્યાલય બાંધ્યું . Dhirubhai Ambani પરિવાર દર વર્ષે આ ગામ પાછળ 20 થી 25 લાખ રૂપિયા ખર્ચ છે . પચાસ વર્ષમાં શૂન્યમાંથી આવું વિરાટ સર્જન કરનાર ધીરુભાઈના ‘ રિલાયન્સ ’ જૂથની સંપત્તિ આજે અંદાજે કરોડથી પણ વધુ હશે .
છેલ્લાં વર્ષોમાં દેશમાં આવી પડેલી કુદરતી આપત્તિઓનાં પ્રસંગો , દેશમાં ટેકનિકલ શિક્ષણક્ષેત્રે તેમજ સમસ્ત માનવજાતનું જેમાં શ્રેય થાય તેવા પ્રોજેક્ટો હાથ ધરવામાં પોતાની સંપત્તિનો છૂટથી ઉપયોગ કરી રહેલું રિલાયન્સ ગ્રુપ દેશનું ગૌરવ છે . પોતાની ભારતની મુલાકાત દરમ્યાન અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને ધીરુભાઈ અંબાણીના પરિવાર સાથે 45 મિનિટ ગાળી હતી !
ભારત સરકારે Dhirubhai Ambaniને ‘ ભારત રત્ન ' ઇલ્કાબથી નવાજ્યા છે .
No comments: